Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ગોંડલમાં શુક્રવારે પૂ.હરિચણદાસબાપુનાં ૯૬ માં પ્રાગટયદિને ૧૧ હજાર ભુદેવોને બ્રહ્મભોજન

ગોંડલ તા. ર૧ :.. ગોંડલ રામજી મંદિરના ગાદીપતિ પ.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી હરિચરણદાસબાપુના ૯૬ માં જન્મદિન નિમિતે બ્રહ્મ ચોર્યાસીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં અગીયાર હજાર બ્રાહ્મણો ભોજન પ્રસાદ ગ્રહણ કરશે જેમાં ગોંડલ શહેર, તાલુકો, કોટડા સાંગાણી તાલુકા, જેતપુર, ઉપલેટા, આટકોટ, જસદણ વિગેરે ગામોના બ્રહ્મ પરિવારો પધારશે તેમજ દરેક બ્રહ્મ પરિવારોના ઘરે જઇને નિમંત્રણ પાઠવાયુ છે.

શ્રીરામ મંદિરે વિશાળ આયોજનમાં ૧૭ વર્ષના યુવાનથી માંડી ૭૭ વર્ષના બ્રાહ્મણ કાર્યકરો ઘરે ઘરે જઇ નિમંત્રણ પાઠવી રહ્યા છે. ત્યારે ગોંડલ ભુવનેશ્વરી મંદિરના આચાર્ય ઘનશ્યામ મહારાજના આર્શીવાદ અને નેતૃત્વ હેઠળ યુવાનો સુંદર આયોજન કરી રહ્યા છે. તેમ સમસ્ત બ્રહ્મ સમાજ અગ્રણી ગીરીશભાઇ રાવલ (ગીતા ટાઇપ) તથા યશવંતભાઇ રાવલની યાદી જણાવેલ છે.

(11:22 am IST)