Gujarati News

Gujarati News

News of Sunday, 21st February 2021

જામનગર શહેરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 49.64 ટકા મતદાન : સિદ્ધિ વિનાયક કોલોનીના આહીર સમાજમાં ઇવીએમ બગડતા 30 મિનિટ જેટલા સમય માટે મતદાન અટકયુ હતું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:::જામનગર શહેરમાં સાંજના પાંચ વાગ્યા સુધીમાં 49.64 ટકા મતદાન થયું છે.જામનગરમાં મતદાનની પ્રક્રિયા પૂરી થઈ છે ત્યારે ઇવીએમ મશીન સીલ કરવામાં આવ્યા છે જામનગરના 236 ઉમેદવારોના ભાવિ હાલ મતપેટીમાં સીલ કરી દેવાયા છે મંગળવારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન નું પરિણામ માટે આ ઇવીએમની મતપેટીઓ ખુલશે. 

     જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઇવીએમ બગડવાની નોબત પણ ક્યાંકને ક્યાંક સામે આવી હતી. શરૂઆતમાં સવારે સિદ્ધિ વિનાયક કોલોનીના આહીર સમાજમાં ઇવીએમ બગડતા 30 મિનિટ જેટલા સમય માટે મતદાન અટકયુ હતું. (તસવીર: કિંજલ કારસરીયા-જામનગર)

(6:45 pm IST)