Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

અમરેલીમાં પરેશ ધાનાણીના પુતળાનું દહનઃ ભાજપના ૧૫ કાર્યકરોની અટકાયત

 અમરેલીઃ પરેશ ધાનાણીના સરદાર પટેલના સ્ટેચ્યુ અંગેના વિવાદિત નિવેદનનો અમરેલીમાં યુવા ભાજપના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અહિના રાજકમલ ચોકમાં મોડી સાંજે કાર્યકરોએ એકઠા થઇ ધાનાણી વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો અને બાદમાં તેના પુતળાનુ દહન કર્યું હતું.જો કે આ કાર્યક્રમ માટેની મંજુરી લેવાઇ ન હતી જેને પગલે પોલીસે અહી  દોડી આવી જી.પી.એકટ મુજબ ૧૫ કાર્યકરોની અટકાયત કરી હતી. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ, અમરેલી)(૧.૨૭)

 

 

(4:17 pm IST)