Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

દામનગર શહેરમાં લગ્નોત્સવમાં શરણાઇના શૂર ઓસરાયાઃ લગ્નમાં શહીદોને શ્રધ્ધાંજલી અપાઇ

મેરે વતન કે લોગો જરા આંખ મંે ભરલો પાની...

દામનગર તા. ૨૧: દામનગર-પટેલ વાડી ખાતે લેઉઆ પટેલ ભીખાભાઇ કાનાણી પરિવારની બે પુત્રીઓ આરતીબેન અને પૂજાબેનના લગ્નોત્સવની ભવ્ય તેૈયારી કરાયેલ પણ કાશ્મીરના પુલવામામાં થયેલ ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોની શહાદતથી વ્યથીત બંને પુત્રીઓએ જાન સાથે આવેલ બેન્ડવાજા સંગીત વાદનની મનાઇ કરી સપ્તપદી પૂર્વે ગમગીન રડતા હૃદયે વીર જવાનોને શ્રધ્ધાંજલી અર્પી ત્યારબાદ સપ્તપદીની પ્રતિજ્ઞા લીધી લગ્નોત્સવમાં આવેલ બન્ને વરરાજા નરેશભાઇ તથા આશીષભાઇ અને જાનૈયા માંડવિયા બંને પક્ષના હજારો મહેમાનોએ પુરી અદબ સાથે શહીદોને શ્રધ્ધાંજલી આપી અને લગ્નોત્સવમાં એ મેરે વતન કે લોગો જરા આંખો મે ભરલો પાની જો શહીદ હુએ હે ઉનકી જરા યાદ કરલો કુરબાની સામે લગ્નોત્સવમાં શરણાઇના શૂર બદલાયા હતા. તે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.(૧.૬)

(11:47 am IST)