Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મોરબીમાં દાઝી જતાં ધોરણ-૧૦ની વિદ્યાર્થીની વસંતી પઢીયારનું મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ વણકર પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૧: મોરબીના રોહિદાસપરામાં રહેતી વસંતી દામજીભાઇ પઢીયાર (ઉ.૧૬) નામની વણકર બાળાનું દાઝી જતાં મોત નિપજ્યું છે.

વસંતી ૧૭મીએ સવારે સ્ટવ પર પાણી ગરમ કરતી હતી ત્યારે સળગતા સ્ટવને ઠેબુ લાગી જતાં સ્ટવ ઉંધો વળતાં ભડકો થતાં દાઝી ગઇ હતી. તેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. આજે સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી મોરબી પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર વસંતી એક ભાઇથી મોટી હતી અને ધોરણ-૧૦માં ભણતી હતી. પિતા માનસિક અસ્વસ્થ છે.

(11:33 am IST)