Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ભાવનગરમાં આર્થિક સંકડામણથી કંટાળી જઇને વેપારીએ ગળાફાસો ખાધો

ભાવનગર તા.૨૧: વિજયરાજનગર શિવશકિત ફલેટમાં રહેતા અને શહેરના ચિત્રા જીઆઇડીસી માં ચાંદલા બનાવવાનું કારખાનુ ધરાવતા દિનેશભાઇ બચુભાઇ વાઘેલા (ઉ.વ.૪૨)નામનો દરજી યુવાન છેલ્લા કેટલાક સમયથી આર્થિક સકડાંમણથી ત્રાસી ગયો હતો.

સાંજના સુમારે આ યુવાને પોતાના કારખાનામાં જ ગળાફાસો ખાંઇ આપઘાત વ્હોરી લેતા મૃતકના પરિવારમાં અને આ વિસ્તારમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતકના ભત્રીજા અલ્પેશ અશોકભાઇ વાઘેલાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, જીએસટી લાગુ થયા બાદ ધંધો બરાબર ન ચાલતો હોવાથી અને બેન્ક લોનના હપ્તા નિયમીત નહિ ભરી શકતા બેંકનું લેણુ વધી જતા આખરે દિનેશભાઇએ ગળાફાસો ખાધો હોવાનું જણાવ્યુ હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:23 am IST)