Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોરબી જિલ્લા અન્નસુરક્ષા હેઠળ ૪ હજાર લાભાર્થીઓ

મોરબી :  રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ મોરબીમાં ૪૦૦૦ થી વધુ લાભાર્થીઓને એન એફ એસ એ રેશનકાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા જે અંગે ટાઉન હોલ તેમજ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ટાઉન હોલ ખાતે આયોજિત સમારોહમાં ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા, જીલ્લા કલેકટર જે બી પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા પુરવઠા અધિકારી, ચીફ ઓફિસર ગીરીશ સરૈયા અને ભાજપ અગ્રણી જયરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર રાજયમાં ૫૦ લાખ લાભાર્થીઓને યોજના હેઠળ લાભ આપવામાં આવ્યો છે જેના લાઈવ પ્રસારણ મારફત મોરબી જીલ્લાના લાભાર્થીઓને પણ યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. (તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી).

(1:33 pm IST)