Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

બાબરાનાં જામબરવાળા ખોડીયાર મંદિરમાંથી રૂ. ૩ લાખના રોકડ-દાગીનાની ચોરી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૧ :.. બાબરા તાલુકાના જામબરવાળ ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં તા. ૧૯ થી ર૧ ની રાત્રી દરમ્યાન કોઇ હરામખોરએ મંદિરના તાળા તોડી અંદર પ્રવેશ કરી દાન પેટીમાંથી રોકડ રૂ. ૭૦ હજાર તેમજ સોના-ચાંદીના દાગીના રૂ. ર,પ૭,૭પ૦ મળી કુલ રૂ. ૩,ર૭,૭પ૦ ની ચોરી કરી લઇ ગયેલ તેમજ ગામમાં આવેલ બાવળીયા  પરીવારના બુટભવાની માતાજીના મઢમાં તેમજ મોમાઇ માતાજીના મંદિરમાં રોકડ-રકમની ચોરી કરી લઇ ગયાની જામબરવાળા ના મનસુખભાઇ બેચરભાઇ પલસાણાએ બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાવતા બનાવની તપાસ બાબરાના પી. આઇ. ડી. વી. પ્રસાદ ચલાવી રહ્યા છે.

(1:26 pm IST)