Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

એલઆરડીની ભરતીનો પરિપત્ર રદ ન કરવા બોટાદમાં કરણીસેના દ્વારા આવેદન

બોટાદ, તા. ર૧ : બોટાદમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણીસેનાના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સામતભાઇ જેબલીયાની અધ્યક્ષતામાં અને કરણીસેનાના હોદેદારોની બહોળી ઉપસ્થિતિમાં બોટાદ જીલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.

કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રમુખશ્રી રાજસેખાવતની સુચનાથી આપવામાં આવેલ. આ આવેદનપત્રનો મુખ્ય હેતુ હાલમાં જે એલ.આર.ડી.ની ભરતીમાં સરકારશ્રીના તા. ૧-૮-ર૦૧૮ના પરીપત્રને રદ ન કરવા બાબતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવેલ. આ તકે કરણીસેનાના મહાનુભાવોમાં બોટાદ જીલ્લા યુવા અધ્યક્ષ-અમીરાજભાઇ ધાધલ તથા બોટાદ જીલ્લા મહામંત્રીશ્રી યોગરાજસિંહ ડાભી તથા બોટાદ શહેર મહામંત્રી સીધરાજભાઇ ખાચર તથા મહામંત્રીશ્રી શકિતસિંહ જાડેજા વિગેરે મહાનુભાવો આવેદનપત્ર આપવામાં જોડાયેલ-તેમ કરણીસેનાના ગુજરાત પ્રદેશ સંગઠનમંત્રી સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવ્યું છે.

(11:20 am IST)