Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ભાવનગર જેલમાં કેદીઓ બેફામઃ હવાલદારનું ગળુ પકડીને વર્દીના બટન તોડી નાંખ્યા

ભાવનગર, તા. ૨૧ :. ભાવનગર જિલ્લા જેલમાં રહેલા કેદીઓ દ્વારા ગેરપ્રવૃતિઓ આચરાતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠવા પામે છે અને મોબાઈલ સહિતની વસ્તુઓ ચેકીંગ દરમિયાન મળી પણ રહી છે, ત્યારે આજે તો કેદીઓ બેફામ બન્યા હોય તેમ હવાલદારનું ગળુ પકડી મારમારી વર્દીના બટન તોડી નાખ્યા હતા. આ બનાવ અંગે હવાલદારે ૩ કેદીઓ સામે એ-ડિવીઝન પો.સ્ટે.માં ફરીયાદ નોંધાવી હતી.

જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા પ્રવિણસિંહ કલ્યાણસિંહ જાડેજા (ઉ.વ. ૫૬) આજે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે જિલ્લા જેલમાં રહેલા કેદીઓ રામ નરેશભાઈ ગઢવી, ભોથુભાઈ કમલભાઈ તેમજ દિનેશ ધીરૂભાઈએ બપોરના ૩ વાગ્યે હવાલદાર સાથે બોલાચાલી કરી હવાલદારને ભુંડા બોલી ગાળ આપી ગળાપચી દબાવી મોઢા ઉપર લાફા વતી મારમારી વર્દીના બટન તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા હવાલદાર પ્રવિણસિંહ જાડેજાએ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ એ-ડિવીઝન પો. સ્ટે.માં ફરીયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૩૨, ૧૮૬, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ એએસઆઈ એ.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે. જિલ્લા જેલમાં હવાલદાર ઉપર કેદીઓ દ્વારા હુમલો કરી મારમારી વર્દીના બટન તોડી નાખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે અને જેલમાં હવાલદારો પણ સલામત ન હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.(૨-૧૦)

(11:53 am IST)