Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જામજોધપુર નોર્મલ રેન્જનાં ચોકીદારની તરફેણમાં ચુકાદો

જામજોધપુર તા.૨૧: જામજોધપુર નોર્મલ રેન્જમાં ચોકીદાર / મજુર તરીકે ફરજ બજાવતા કામદાર વાલા રામભાઇ ખરા ૧૯૯૫થી ફરજ બજાવતા હોય. તેમ છતાં તેઓને તા. ૧૫-૯-૨૦૧૪ના પરીપત્ર મુજબના લાભો આપવામાં આવતા ન હોય. કામદારે મજુર સેવા સંઘ મારફત કાયમી થવા કેસ કરેલ હતો. ઉપરોકત કેસમાં ઓૈદ્યોગિક અદાલતના ન્યાયાધીશ શ્રી એમ.એચ. પટેલે કામદાર તરફેની દલીલ અને ઉચ્ચ અદાલતોના ચુકાદાને ધ્યાને લઇ રેફ. કેસ મંજુર કરી સામાવાળા કામદારને દિવસ-૩૦માં તા. ૧૫-૦૯-૨૦૧૪ના પરીપત્ર મુજબ ના તમામ લાભો આપવા અને કાયમી ગણવાનો ન્યાયી હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં કામદાર પ્રતિનિધિ તરીકે વકીલ શ્રી હમીદ એચ. દેદા તથા વકીલશ્રી તારમામદ એચ. સમા રોકાયા હતા.(૧.૮)

(11:50 am IST)