Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જામકંડોરણાનાં રામપર ગામે ભવ્ય શાકોત્સવ યોજાયો

 જામકંડોરણાના રામપર ગામે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ પ્રેરીત સંતો રામપર ગામે પધારી પોતાની અમૃતવાણીમાં હાજર સમસ્ત ગ્રામજનોને ભગવાન સ્વામિનારાયણએ ખુદે શાકોત્સવ યોજી તમામ લોકો સાથે પ્રસાદ લીધો હતો અને એ પરંપરા આજે પણ ચાલુ હોવાનું જણાવેલ. આ તકે સ્વામિનારાયણના સંતશ્રી દેવપ્રસાદ સ્વામી, હરિપ્રિય સ્વામી, રામાજુન સ્વામી, ગોવિંદ સ્વામી, દર્શન પ્રિય સ્વામી સહિતના સંતોએ આર્શીવચન આપેલ હતા આ તકે રાજકોટ ડેરીના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ બોદલ, જસમતભાઇ કોયાણી, ચંદુભા ચૌહાણ, જીતુભાઇ ગોંડલીયા, રાજેશભાઇ કોટડીયા, વલ્લભભાઇ કોટડીયા, મેહુલ કોટડીયા, લલીતભાઇ કોટડીયા, નવીન કોટડીયા, મુકેશ કોટડીયા, જસાપર સમર્પણ સતસંગ મંડળના પંકજભાઇ પંડિત, મહેશભાઇ ધોણીયા તેમજ રામપરના અગ્રણીઓ સહિતનાઓ હાજર રહેલ હતા.(તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)(૧.૮)

(11:49 am IST)