Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

મોરબીના બંધુનગર નજીક વીજશોક લાગતા યુવાનનું મોત થયું

મોરબીના બંધુનગર નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિકને વીજશોક લાગતા મોત થયું હતું
બનાવની મળતી વિગતો મુજબ મોરબીના બંધુનગર નજીક આવેલ એ ટૂ ઝેડ ફેબ્રિકેશન કારખાનામાં કામ કરતા મહેશભાઈ ગોરધનભાઈ વાઘેલા રહે ભેરડા તા. વાંકાનેર વાળા યુવાનને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોર્ટ લાગત મોત થયું છે મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(9:08 pm IST)