Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ભાવનગરમાં મ્યુકરમાઇકોસીસના ૩ અને કોરોનાના ૯ કેસ : ૩૭ દર્દીઓ કોરોનામુકત

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૦ : ભાવનગર જિલ્લામાં વધુ મ્યુકર માઇકોસીસનાં ૩ સસ્પેકટીવ કેસ નોંધાતા કુલ જિલ્લામાં કુલ ૧૨૪ કેસ સારવાર હેઠળ નોંધાયા છે.

જિલ્લામાં કુલ ૧૨૪ કેસ નોંધાયેલા પૈકી ૧૧૨ કન્ફર્મ કેસ, ૧૦ સસ્પેકટેડ કેસ અને ૨ નેગેટિવ કેસ નોંધાયેલ છે. જયારે આજદિન સુધીમાં ૧૪ દર્દીઓના સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

ભાવનગર જિલ્લામા વધુ ૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧,૩૬૩ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૨ પુરૂષ તેમજ તાલુકાઓમાં ૪ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૯ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૬ અને તાલુકાઓમાં ૩૧ કેસ મળી કુલ ૩૭ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. આ દર્દીઓએ હોસ્પિટલમાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૩૬૩ કેસ પૈકી હાલ ૩૬૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે જિલ્લામાં ૨૯૧ દર્દીઓનું અવસાન થયેલ છે.

(12:05 pm IST)