Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મુળવાનાથની જગ્યા દ્વારકા- બેડના મહંત પૂ.રઘુરામબાપુ રાજારામબાપુ દેવલોક પામ્યા

સમસ્ત રબારી- ભરવાડ સમાજમાં મોટી ખોટ પડી

રાજકોટ : સમસ્ત રબારી અને ભરવાડ સમાજની એકતાના પ્રતિક સમાન શ્રી મુળવાનાથની જગ્યા દ્વારકા - બેડના મહંત શ્રી રઘુરામબાપુ રાજારામબાપુ આજરોજ તા. ૭ના દેવલોક પામેલ છે. હરહંમેશ સમાજ કલ્યાણ અને સમાજહિતના કામો અને અવિરત અનુદાન કરી અવિરત હરીહરની પરંપરાને જેમણે નિભાવી અને દરેક શ્વાસમાં સમાજ અને સૃષ્ટિના કલ્યાણની પ્રાર્થના કરતા રહ્યા. પ.પૂ. રઘુરામબાપા દેવલોક પામતા રબારી અને ભરવાડ સમાજમાં મોટી ખોટ પડી છે.

(3:20 pm IST)