Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ધોરાજીનો ઐતિહાસિક દરબારગઢ જાળવણીના અભાવે બિસ્માર

 (ધમેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી,તા.૭ : ગોંડલના રાજવી એ સતરમી સદીમાં બાંધેલો દરબારગઢ જર્જરીત અવસ્થામાં પડી જવાના વાંકે ઉભો છે. તેને રક્ષીત જાહેર કરાયો છે. છતાં તંત્ર દ્વારા ઐતિહાસિક વારસાની જાળવણી પ્રતીયે બેદરકારી દાખવાઈ રહી હોવાનું  પ્રતીત થાય છે.

 સતરમી સદીમાં ગોંડલના રાજવી ભા.કુભાજી એ બે માળનો રાજમહેલ બનાવ્યો હતો. આ દરબારગઢની અધૂરી કામગીરી રાજવી ભગવતસિંહજી એ પૂરી કરાવી હતી. આમ અદ્ભૂત નકશીકામ સ્થાપત્ય કલાના બેનમૂન નમૂના રાજમહેલ એટલે દરબારગઢ તૈયાર થયો. તે રાજવીનંુ નીવાસ સ્થાન હતું. ભગવતસિંહજીને ધોરાજીને પેરીસ સમું બનાવવાની ઈચ્છા હતી. દરબારગઢ એટલો સુંદર હતો કે સહજાનંદ સ્વામી એ દરબારગઢને જોઈને કહ્યું હતું કે મારે આવો મંદિર બાંધવા છે. આ દરબારગઢમાં  ઐતિહાસિક હઝરત પીર લાખાપીર બાવાની દરગાહ પણ છે અને મંદિર પણ આવેલ છે. આઝાદી પછી દરબારગઢમાં મામલતદાર કચેરી, આયુર્વેદિક દવાખાનું, પુસ્તકાલય વગેરે હતા. પરંતુ જેમ જેમ દરબારગઢ જર્જરીત થતું ગયું તેમ તેમ બધાનું સ્થળાંતર થતુ ગયું. હાલ માં મામલતદાર કચેરી દરબારગઢ માં છે. દરબારગઢ રક્ષિત ઈમારત જાહેર થયેલ હોય પૂરાતતવ ખાતા હસ્તક છે. પરંતુ ઐતિહાસિક વારસાની જરાયે દરકાર લેવાતી ન હોય ઈમારત જર્જરીત અવસ્થામાં છે ઐતિહાસિક વારસા થી આવનારી પેઢી અવગત બને તે માટે જાળવણીની માંગ ઉઠી છે.

(12:44 pm IST)