Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

જોડિયાધામમાં સુતારશેરીમાં આવેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરમાં શ્રી ખોડિયાર જયંતીની ઉજવણી

વાંકાનેર,તા.૨૨: જામનગર જિલ્લાના જોડિયાધામ માં આવેલ પરા વિસ્‍તાર માં સુતારશેરીમાં આવેલ આઇશ્રી ખોડિયાર માતાજી મંદિરમાં શ્રી ખોડિયાર જયંતી નિમિતે માતાજીનુ વિશેષ પૂજન અર્ચનવિધિ ભક્‍તિમયના દિવ્‍ય માહોલમાં કરવામાં કરવામાં આવેલ હતું.

તેમજ આઇશ્રી ખોડિયાર માતાજી ના સમગ્ર મંદિરને પુષ્‍પોહારથી સજાવટ કરવામાં આવેલ તેમજ માતાજી ના દરબાર માં વિદ્ય વિદ્ય ફૂલોની કલાત્‍મક રંગોળી કરવામાં આવેલ હતી

ભાવિક ભક્‍તજનોએ માતાજીના દર્શનનો આરતી નો લાભ લીધેલ હતો તેમ હરિભાઈ લુહાર તેમજ ભરતભાઈ ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.

(11:56 am IST)