Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ઉપલેટામાં ખ્‍વાજા સાહેબની છઠ્ઠી નિમિતે ન્‍યાજનું વિતરણ

ઉપલેટા :  અજમેરમાં ખ્‍વાજા ગરીબે નવાજના ૮૦૯ માં ઉર્ષ નિમિત્તે ઉપલેટામાં દર વર્ષે ઝુલુસ કાઢવામા આવતુ હોય છે. પરંતુ હાલ ચાલી રહેલી કોરોના મહામારીના ઝુલુસનો કાર્યક્રમ રદ કરવામાં આવ્‍યો હતો તેના બદલે સવારમાં સુન્ની મુસ્‍લિમ જમાત તરફથી દૂધનુ વિતરણ બપોરના દાદીબાઈ હોલમા ગરીબે નવાઝ કમીટી દ્વારા ન્‍યાજનો કાર્યક્રમ રાખવામા આવેલ.આ કાર્યક્રમમાં સુન્ની મુસ્‍લીમ સમાજના પ્રમુખ સિદીક ભાઈ બાવાણી,લાલાભાઈ શેખ,દિલાવરભાઈ હિંગોરા, સમસ્‍ત મેમણ જમાતના પ્રમુખ હનીફભાઇ કોડી,અશરફભાઈ જુમાણી,નાસીરભાઈ ગુદા, વાહીદભાઈ કોડી સહિતના કમીટીના સભ્‍યોએ જહેમત ઉઠાવેલ હતી.

(11:49 am IST)