Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

સાવરકુંડલાઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે વજીરખાન પઠાણની નિમણુક

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૯: સાવરકુંડલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે વજીરખાન પઠાણની નિમણુક કરવામાં આવતા સમગ્ર કોંગ્રેસ પરિવાર અને મુસ્લીમ સમાજમાં વર્ષની લાગણી ફેલાઇ હતી.

ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના આદેશ અનુસાર કે સી વેણુગોપાલ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે ગુજરાત બાર એસોસિએશનના અગ્રણી અને બાહોશ એડવોકેટ અને સંગઠનના માહિર એવા ગુજરાતના કદાવર નેતા શ્રી વજીરખાન બી પઠાણની નિમણુંક કરવામાં આવતા સમગ્ર માઈનોરિટી ડિપાર્ટમેન્ટ અને કોંગ્રેસી વર્તુળોમાં વર્ષની લાગણી ફેલાઇ હતી.

શ્રી વજીરખાન પઠાણ અગાઉ પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે સુંદર અને અતિ સફળતાપૂર્વક પ્રંશસનિય કામગીરી કરી હતી. દરેકને સાથે લઈને ચાલવુ અને સંગઠન ઉભુ કરવા ભારે અનુભવી છે. કોંગ્રેસ પક્ષના હિત માટે શ્રી વજીરખાન પઠાણ ખંત ખુમારી અને ખેલદિલીપૂર્વક કામગીરી કરવા માટે ઉત્સાહી છે. માઈનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે શ્રી વજીરખાન પઠાણની વરણીથી તેમની ટીમ આવતા દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધ અને અસરકારક કામગીરી બજાવવા ભારે થનગનાટ જોવા મળે છે.

શ્રી વજીરખાન પઠાણની વરણીને સુરત ના પૂર્વ મેયર અને ગુજરાત કોંગ્રેસ કોર કમીટીના મેમ્બર કદીર પીર ઝાદા, વાંકાનેરના ધારાસભ્ય જાવેડપીરઝાદા,  ધારાસભ્ય ગ્યાસુદીનભાઈ શેખ, ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડા વાલા, મુજગફરહુસૈન સૈયદ અયુબભાઈ શેખ, રુમીભાઈ શેખ, રહીમભાઈ સોરા, ઈકબાલ ગોરી, અમીનભાઈ હુન્નર રફીકભાઈ મોગલ, જમાલભાઈ મોગલ, જમાલભાઈ સરવૈયા વિગેરે માઈનોરિટી ડિપાર્ટમેન્ટના અગ્રણીઓએ આવકારી અભિનંદન પાઠવેલ હતા.

(11:57 am IST)