Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોરબી નાની બજારમાં એકલા રહેતા ૫૦ વર્ષના હુસેનભાઇ હસનઅલીભાઈ કલકત્તાવાલા દાઉદી વોરાનો ઘરમાંથી મૃતદેહ મળ્યો

મોરબી::: નાની બજાર સૈફી મહેાલા વિસ્તારમાં રહેતા દાઉદી વોરા વૃધ્ધનો તેમના ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેમના મૃતદેહને પીએમ અર્થે રાજકોટ લઇ જવાયો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી નાની બજારમાં આવેલા સૈફીમોલા વિસ્તારમાં રહેતા હુસેનભાઇ હસનઅલીભાઈ કલકત્તાવાલા દાઉદી વોરા (ઉંમર ૫૦) નો તેમના ઘરમાંથી જ કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

 જેથી નજમુદ્દીન મોહિજભાઈ લક્ષ્મીધર દાઉદી વોરા (૩૪) રહે. રાજકોટ બેડીપરા વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી બીટ વિસ્તારના હેડ કોન્સ્ટેબલ એમ.જી.વાળાએ સ્થળ ઉપર જઈને તપાસ શરૂ કરી હતી. જેમા ખુલ્યુ હતુ કે મૃતક હુસેનભાઇના શરીર ઉપર દેખીતા કોઇ ઇજાના નિશાન કે ઝેરી દવા અંગેના કોઈપણ અણસાર દેખાતા ન હતા અને તેઓનો મૃતદેહ ડી-કમ્પેાઝ થઈ ગયેલ હાલતમાં હોય તેમના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ લઇ જવાયો છે.

હાલ પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યા મુજબ હુસેનભાઇ એકલા જ રહેતા હતા તેમના પત્નીનું ત્રણેક વર્ષ પહેલા મૃત્યુ નીપજ્યું હતું અને તેઓને વાઇ અને આંચકીની તકલીફ હતી તેમ છતાં પણ બનાવવાનું ખરૂ કારણ જાણવા પોલીસે લાશની ફેારેન્સીક તપાસ કરાવેલ છે તે રિપોર્ટ આવ્યે મોતનું કારણ સામે આવશે તેમ પેાલીસે જણાવેલ છે.

(1:01 pm IST)