Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

મોરબીમાં આધેડ કેશવજીભાઇ ધરમશીભાઇ રંગપરીયાએ ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી

મોરબી : મોરબીમાં રહેતા એક આધેડે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ બનાવની નોંધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે.

મોરબીના ઉમીયા સર્કલ પાસે રાધા કિશન સોસાયટીમાં રહેતા કેશવજીભાઇ ધરમશીભાઇ રંગપરીયા (ઉ.વ. 50) ગઈકાલે પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઇ લેતા મૃત્યુ પામ્યા હતા. મૃતકના મૃતદેહને પી.એમ. અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

(12:56 pm IST)