Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

કામ ધંધો ન મળતા આર્થિક ભીંસથી મેંદરડાના નાગલપુરના યુવાનનો આપઘાત

કેવદ્રાની પ્રૌઢાનું ઝેરી ટીકડા ખાતા મોત

જૂનાગઢ તા. ૨૦ : કામ ધંધો ન મળતા આર્થિક ભીંસથી કંટાળી મેંદરડાના નાગલપુરના સંજય મોહનભાઇ વાઘેલા (ઉ.૨૭)એ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

મરનાર સંજયભાઇ છુટક કામ કરીને પેટીયુ રળતા હતા પરંતુ છએક માસથી કામ ધંધો કે મજુરી કામ ન મળતા આર્થિક ભીંસથી કંટાળીને તેમણે ગઇકાલે સાડી વડે ગળાફાંસો ખાય લીધો હતો.

આ યુવાનની આત્મહત્યાથી તેના પરિવારમાં ગમગીની પ્રસરી ગઇ હતી. વિશેષ તપાસ પીએસઆઇ એ.બી.દેસાઇ ચલાવી રહ્યા છે.

મોત

કેશોદ તાલુકાના કેવદ્રા ગામના કંચનબેન જગદીશભાઇ મણવર (ઉ.વ.૫૦) નામના પ્રૌઢાનું ઝેરી ટીકડી ખાવાથી મોત થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.(

(12:47 pm IST)