Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

ભાવનગરમાં મુન્ના કોળીની હત્યા કરનારા ર સામે ગુન્હો

ભાવનગર, તા. ર૯ : શહેરના કરચલીયાપરા વિસ્તારમાં પોપટનગર ખાતે રહેતા મુન્નો ઉર્ફે બુવાભાઇ રાઠોડ નામના કોળી યુવાન ઉપર આજ વિસ્તારના કિશોરભાઇ રાઠોડ અને રાહુલ ઉર્ફે લાલો કિશોરભાઇ રાઠોડએ છરી વડે છાતીના અને પડખામાં ઘા ઝીંકી હત્યા કરી નાસી છૂટયા હતા. આ બનાવની જાણ થતાં જ સી-ડીવીઝનનો પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે ભાનુબેન રાઠોડએ સી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કિશોરભાઇ રાઠોડ તથા રાહુલ ઉર્ફે લાલો કિશોરભાઇ રાઠોડ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી જણાવેલ કે તેના ઘર પાસે આરોપી ગાળો બોલતા હોય તેને ટપારતા તેની દાઝ રાખી છરી વડે હુમલો કરી હત્યા કરી છે. આ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

(11:48 am IST)