Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

જસદણ પંથકમાં કોરોના વધુ ન ફેલાય તે માટે જાહેરનામાનો કડક અમલ કરાવવા માંગ

જસદણ, તા. ર૯ :  જસદણ આટકોટ અને લીલાપુરમાં આજે એક એક કોરોના પોઝિટીવ મળી કુલ ત્રણ કેસ આવતા લોકોમાં ફરીવાર ફફડાટ ફેલાયો છે જસદણ પંથકમાં આંગળીના વેઢે ગણી શકાય એટલા કોરોના પોઝિટીવ કેસમાં આજે જસદણના ઉદ્યોગપતિ અશરફભાઇ ખીમાણી લીલાપુરના જીતુભાઇ રામાણી અને આટકોટના ભોપાભાઇ રબારીને રવિવારે બપોરે કોરોના પોઝિટીવ આવતા આ વાતને લઇ જસદણ પંથકના નાગરિકોમાં રીતસરનો ફફડાટ ફેલાયો હતો ખાસ કરીને જસદણના ખાનપર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં કોરોના ના પગલો બાલ ક્રીડાગણ આજે દોરડાની આડશ કરી બંધ કરી દેવામાં આવ્યું હતું. જસદણ પંથકમાં આગામી દિવસોમાં કોરોના ફેલાય નહિ તે માટે સરકારના જાહેરનામાનો કડક અમલ કરવો જોઇએ એવી પ્રજામાં માંગણી ઉઠવા પામી છે.

(11:44 am IST)