Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં એક દિ'માં ૧૪ કોરોના કેસ

શહેરી વિસ્તારમાં ૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાં એક કેસ નોંધાતા કુલ આંક ૧૩૯

વઢવાણ તા. ૨૯ : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ એકજ દિવસમાં શહેરી વિસ્તારમાં ૧૩ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧ મળી કુલ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયા જિલ્લામાં કુલ કેસ નો આંક ૧૩૯ થયો છે.  છતા લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે નીતિનિયમનું પાલન નહિ કરતા હોય સતત વધતા કોરોના પોઝીટીવ કેસ માં વધારો થઈ રહ્યો છે.

પોઝીટીવ કેસ આવેલા દર્દીઓના સંપર્કમાં આવેલ લોકોને હોમકોર્નટાઇલ રહેવું જરૂરી છે. આવા લોકો હોમ કોરેન્ટાઇલ ન રહેતા હોય તો તેઓને હોમકોરેન્ટાઇલમાં ફરજીયાત હોમકોર્નટાઇલ કરવા જરૂરી છેઆજે આવેલ પોઝિટિવ કેસ માં અતુલભાઈ સોમચંદભાઈ (ઉં.૫૮) રહે શાંતિનગર પાસે, ગોકુળ રેસ્ટોરન્ટ રોડઙ્ગ સુરેન્દ્રનગર , શંકરભાઇ સોમાભાઈ નઢેરઙ્ગ ૩૫ઙ્ગ રહે. શાળા નંબર ૧૪ સામે, કૈલાસ નગર,ધોળીધાર ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, દિનેશભાઈ જે તુરખિયા (ઉં.૬૨) જયહિંદ સોસાયટી જિનતાન રોડ સુરેન્દ્રનગર, ધર્મેય હાર્દિકભાઈ તુરખિયાઙ્ગ (ઉં.૧૨) હેરીત હાર્દિકભાઈઙ્ગ તુરખિયા (ઉં.૮), સત્યમ દિનેશભાઇ તુરખિયાઙ્ગ (ઉં.૩૪), જિનય સત્યમભાઈ તુરખિયા (ઉં.૭), રૂક્ષમણિબેન મુકેશભાઈ રાજવાણી (ઉં.૬૦) રહે. ધ્રાંગધ્રા, કલ્પેશભાઈ દિનેશભાઇ પારેખ (ઉં.૪૩) દેવ સોસાયટી જંકશન રોડ સુરેન્દ્રનગર, વર્ષાબેન મયુરભાઈ શાહ (ઉં.૬૪) દેવદર્શન ફલેટ જિનતાન રોડ,ઙ્ગ ઙ્ગ કેતનભાઈ રમણિકભાઈ શાહઙ્ગ ૫૫ રહે. સહજાનંદ નગર ૧, ભકિતનંદન સર્કલ વઢવાણ,ઙ્ગ જેઠાભાઇ પ્રેમાભાઈ પટેલ (ઉં.૯૦) રહે નાના અંકેવાલિયા તા, લખતર, કંચનબેનઙ્ગ જયતીલાલ તુરખિયા (ઉં. ૯૦) સંજીવની સોસાયટી રતનપર, સુરેન્દ્રનગર, સિફા ફયાઝભાઈ ખોજાણી (ઉં. ૨૨) રહે જુમાં મસ્જિદ પાસે તળાવ મહોલ્લા સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. તમામ દર્દીઓને ગાંધી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે.

(11:42 am IST)