Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં 'હું પણ કોરોના વોરીયર્સ' કેમ્પેઇન

 સુરેન્દ્રનગરઃમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 'હું પણ કોરોના વોરીયર્સ' અભિયાન અન્વયે રાજયના પ્રત્યેક    જિલ્લાઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કાર્યક્રમના માધ્યમથી સંતો-મહંતો તેમજ સમાજના શ્રેષ્ઠીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણ સમયે હિંમત ન હારી આપણે સૌ ગુજરાતીઓએ એક યોધ્ધાની ભૂમિકા નિભાવવાની છે. આવા સમયે નવી આદતો અને જીવનશૈલી અપનાવી કાર્ય કરવું પડશે, શકય હોય ત્યાં સુધી બાળકો-વડીલોએ દ્યરની બહાર ન નીકળવું તેમજ આપણે પણ માસ્ક અને યોગ્ય અંતર રાખીને કાર્ય કરીએ. મુખ્યમંત્રીશ્રીએ હું પણ કોરોના વોરીયર્સ કેમ્પેઈનની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પેઈન અંતર્ગત  તા.૨૨ મે -૨૦૨૦ના રોજ સેલ્ફી વીથ દાદા-દાદી, તા.૨૪ મે-૨૦૨૦ના રોજ સેલ્ફી વીથ માસ્ક અને ૨૬ મે-૨૦૨૦ના રોજ જિલ્લાના તમામ લોકો આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરે અને ઉપરોકત તમામ પ્રવૃત્ત્િ।ના ફોટોગ્રાફસ પોતાના ફેસબુક, ટવીટર, ઈન્ટાગ્રામ, વોટસએપ વગેરે એકાઉન્ટસના માધ્યમથી શેર કરી કોરોના વોરીયર્સ કેમ્પેઈનનો હિસ્સો બને. આ વિડિયો કોન્ફરન્સમાં સંતો અને સમાજ અગ્રણીઓ પાસેથી મુખ્યમંત્રીશ્રીએ આર્શીવચનો અને મંતવ્યો પણ મેળવ્યા હતા.  આ પ્રસંગે હર્ષદભાઈ શાહ અને જિલ્લા સંયોજક ભવાનસિંહ ટાંક, શાહબુદીનભાઈ રાઠોડ,  લીંબડી મંદિરના મહંતશ્રી પુજય લાલદાસ બાપુ,  મુળી સ્વામીનારાયણ મંદિરના મહંતશ્રી શ્યામ સુંદરદાસજી, ચોટીલા ચામુંડા મંદિરના મહંત મનસુખગીરી ગોસાઈ, સરા મેલડી માતાના ભુવા બિપીનભાઈ, શ્રી અલ્કુબાપુ થાન, સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા પ્રમુખશ્રી વિપીનભાઈ ટોલીયા સહિત અગ્રણીઓ સર્વશ્રી રશ્મીનભાઈ મહેતા, ભૂપેન્દ્રભાઇ સંદ્યવી, મનોજભાઈ વોરા, મહાવીરભાઈ ખાચર, સુરેશભાઈ સોમપુરા, મયુરભાઈ શાહ, રસીકભાઈ પટેલ, સુખદેવપુરી ગોસ્વામી ઉપસ્થિત રહયા હતા.આ કાર્યક્રમના સંકલનમાં જિલ્લા સંયોજક સાથે હર્ષદભાઈ ગાંધી અને હરેશભાઈ જાદવ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. વીડીયો કોન્ફરન્સ યોજાઇ તે તસ્વીર.

(11:43 am IST)