Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

બા વારેઘડીએ ખીજાતા હોવાથી મહિપતે રાજકોટથી હળવદ સુરાપુરાના સ્થાનકે જઇ સિંદુર અને ઝેર પીધું

ભગવતીપરાનો ૨૮ વર્ષિય કોળી યુવાન સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૨: ભગવતીપરા જયપ્રકાશ નગરમાં રહેતાં મહિપત જીવણભાઇ કેરવાડીયા (કોળી) (ઉ.વ.૨૮)એ ગઇકાલે રાજકોટથી નીકળી હળવદ પાસેના દીઘડીયા ગામે પોતાના કુટુંબના સૂરાપુરાના સ્થાનકે જઇ સિંદુર તથા ઝેરી દવા ભેગા કરીને પી લેતાં ત્યાં હાજર કોઇએ તેના ફોનમાંથી રાજકોટ જાણ કરતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મહિપત ચાંદીકામ અને ઇમિટેશનની મજૂરી કરે છે. તેને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. મહિપતે જણાવ્યું હતું કે ઘરમાં બા ગોૈરીબેન વારંવાર પોતાને નાની નાની વાતે ખીજાતા હોવાથી પોતે કંટાળી જતાં ગઇકાલે ઘરેથી નીકળી ગયો હતો અને કપાસની દવા લઇ દીઘડીયા સૂરાપુરાના સ્થાનકે પહોંચી દર્શન કર્યા બાદ ઝેરી દવા અને સ્થાનકમાંથી સિંદુર લઇ ભેળવીને પી ગયો હતો. એ પછી કોઇ દર્શનાર્થી આવતાં પોતે ઉલ્ટીઓ કરતો હોઇ પોતાના ઘરના નંબર પુછતાં નંબર આપતાં તેણે ફોન જોડી જાણ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.

(11:42 am IST)