Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

જસદણમાં ઓડ ઇવન પદ્ઘતિના વિરોધ વચ્ચે બજારો ધમધમીઃ ઓડ ઇવન નિયમોનો પણ ઉલાળીયો

જસદણ,તા. ૨૨: જસદણમાં તંત્ર દ્વારા ઓડ ઇવન પદ્ઘતિ અમલમાં મૂકવા સામે વેપારીઓમાં વિરોધ વચ્ચે કેટલાક વેપારીઓએ પણ આ નિયમોનો ઉલાળીયો કરીને દુકાનો ખોલી હતી.

જસદણ પ્રાંત અધિકારીએ વેપારીઓની બોલાવેલી બેઠકમાં ઓડ ઇવન પદ્ઘતિ મુજબ દુકાનો તારીખ ૨૧-૫ થી ખોલવાનું જાહેર કરવામાં આવ્યું હતું. નગરપાલિકા તંત્ર દ્વારા એક નંબર અને બે નંબર ના સ્ટીકરો લગાડવામાં આવ્યા હતા.ઙ્ગ

આ પધ્ધતિનો જસદણના વેપારી આલમમાં પણ વિરોધ ઉઠવા પામ્યો છે. બીજી બાજુ પ્રથમ લોક ડાઉન થઈ લઈને ચોથા લોક ડાઉન સુધી કરિયાણાની દુકાનો તેમજ ખેત ઓઝારોની દુકાનો દરરોજ તંત્ર દ્વારા અડધો દિવસ ખુલી રાખવા દેવામાં આવતી હતી પરંતુ જીવન જરૂરિયાતની કહી શકાય તેવી કરિયાણાની દુકાનોને પણ હવેથી ઓડ ઇવન પદ્ઘતિ મુજબઙ્ગ દરરોજ ને બદલે એકતરા દુકાનો ખોલવાનું તંત્રએ જાહેર કરતા કરિયાણાના અને ખેત ઓઝારના વેપારીઓ ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા ઇચ્છતા નાગરિકોમાં પણ વહીવટી તંત્ર સામે રોષ ફેલાયો છે. જોકેઙ્ગ દ્યણા વેપારીઓએ ઓડ ઇવન પદ્ઘતિનો ઉલળીયો કરીને દુકાનો ખોલી હતી. કેટલાક વેપારીઓએ જણાવ્યું હતું કેઙ્ગ તંત્રઙ્ગ ઓડ ઇવન પદ્ઘતિનો કડક અમલ કરાવે અથવા આ પદ્ઘતિ નાબૂદ કરી દરરોજ નિયત સમયઙ્ગ સુધી તમામ પ્રકારના ધંધાની દુકાનો ખુલી રાખવા દેવી જોઈએ. અદ્ઘવચ્ચે ની સ્થિતિ હોવાથી દ્વિધા સર્જાય છે. ગામડેથી ખરીદી કરવા આવતા નાગરિકો અને ગામડાના વેપારોનોને પણ મુશ્કેલી સર્જાય છે. જસદણમાં બજાર સાંકડી હોવાથી એકી બેકી પધ્ધતિને લીધે લોકો બે દિવસ સુધી બહાર નીકળે અને વધારે ભીડ ટ્રાફિક સમસ્યા થાય છે. બીજી બાજુ જો આ પદ્ઘતિનો અમલ કારવાનો જ હોય તો ચોક્કસ વિસ્તારોમાં સ્ટીકર મારવાનેઙ્ગ બદલે સમગ્ર જસદણ શહેરની તમામ દુકાનોમાં સ્ટીકર મારીને કડક અમલ કરાવવો જોઈએ તેવો સુર નાગરિકોએ વ્યકત કર્યો હતો.

(11:34 am IST)