Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રિલાયન્સ ગ્રુપ દ્વારા જામખંભાળીયાના પછાત વિસ્તારમાં બે ટાઇમ ભોજન અપાશે

જામનગર, તા.૨૫:  'સેવા પરમો ધર્મ'ના ઉદેશ સાથે  કોરોના જેવી વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જામખંભાળિયામાં બપોરે અને રાત્રે બંને ટાઈમ સ્લમ વિસ્તારના લોકો, રોજબરોજની કમાણી પર નિર્ભર અને જરૂરિયાત મંદ અને સાધુસંતો જેવા લોકો માટે ભોજનની વ્યવસ્થા તેમના ઘર સુધી રિલાયન્સ ટીમ, રોબિન હૂડ આર્મી અનેઙ્ગ જયહો ગ્રુપના સહકાર થી પહોંચાડવામાં આવશે.

કોઈપણ જરૂરિયાત મંદ લોકોને જમવાની મદદની જરૂર જણાયઙ્ગ તો અહીં સ્થાનિક લેવલે નીચેના નંબર પર કોલ કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આ માટે રાકેશભાઈ પંચમતીયા ૯૩૭૭૪૪૧૪૯૫,જગુભાઈ રાયચુરા ૯૮૨૫૦૭૪૪૧૨,હાર્દિકભાઈ (જયહો) મોટાણી ૭૬૦૦૪૬૧૧૧૧, સાવનભાઈ દવે  ૯૨૩૯૨૯૨૦૦૦, વિકીભાઈ રૂઘાણી ૭૬૯૮૮૨૬૧૨૦ ઉપર સંપર્ક કરી સ્થળ સરનામું તેમજ લોકોની સંખ્યાની વિગતો આપવા અપીલ કરવામાં આવી છે.

(4:20 pm IST)