Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

માણાવદર તાલુકા સરપંચોનો આદેશઃગામમાં પ્રવેશતા પહેલા પંચાયતને જાણ કરવી

પંચાયત કચેરીએ નોટીસ બોર્ડ લગાવી ગ્રામજનોને વાકેફ કરાયા

માણાવદર તા. રપઃ માણાવદર તાલુકામાં જીલાણા, સરદારગઢ સહિત અનેક ગામડાના સરપંચોએ જાહેર સુચના બોર્ડ મારી બહારના શહેરો, રાજયો કે દેશ બહારથી આવનારા ગામના લોકોએ ગામડામાં પ્રવેશ પહેલા જે તે સરપંચશ્રીને જાણ કરી રજીસ્ટરમાં ફરજીયાત નોંધ કરાવી તેવી સુચના બોર્ડ લખી નોટીસ દ્વારા કરાય છે જે જાગૃતતા સરપંચો દાખવી કોરોના રોગ ફેલાતો અટકાવી શકે પરંતુ સાથે આમ જનતા લોક જાગૃતી રાખે જનતા કરફર્યુમાં સાથ આપે છે જીલાણા ગામ દુકાનો બંધ રાખી માત્ર જીવન જરૂરી વસ્તુવાળી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

(1:18 pm IST)