Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

જામજોધપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા કોરોના સામે જનજાગૃતિના પગલા

નોટીસ બોર્ડ-હોમ ટુ હોમ પ્રચાર દ્વારા લોકોને સમજાવ્યા

જામજોધપુર તા. રપ :.. જામજોધપુર તાલુકા હેલ્થ કચેરી દ્વારા તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો આરોગ્ય કર્મચારી આશાબેનોની ટીમો બનાવી હોમ ટુ હોમ સર્વે કામગીરી કરવામાં આવી રહી છે.

કોરોના અંગેની જાણકારી આપવા માટે પત્રીકા વિતરણ, માઇક પ્રચાર, નોટીસ બોર્ડ, દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

દેશ અને રાજય બહારથી આવતા મુસાફરોને કવોરન્ટાઇનમાં મુકતામાં આવ્યા છે. તેમજ તેઓને ૧૪ દિવસ સુધી ઘરની બહાર ન જવા તેમજ સાવચેતી રાખવા જાણકારી આપવામાં આવી રહી છે.

કોરોના અટકાયતી કામગીરીમાં શિક્ષકો તલાટી મંત્રીઓ, ચીફ ઓફીસર, મામલતદાર તાલુકા વિકાસ અધિકારી દ્વારા સહકાર આપી રહ્યા છે. લોકોએ આરોગ્ય ટીમ તેમજ સરકારશ્રીની સુચનાઓનું લોકો પાલન કરે એવી અપીલ કરવામાં આવી છે. (પ-૧૦)

 

(1:08 pm IST)