Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ભુરો ઉર્ફે ઇમરાન જામનગર ખાતે સારવારમાં

માણાવદરના ફાયરીંગ - હુમલાના બનાવમાં આરોપીઓની શોધખોળ

જૂનાગઢ તા. ૧૩ : માણાવદરના ફાયરીંગ અને હુમલાના બનાવમાં પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવમાં જામનગર ખાતે સારવારમાં રહેલ ભુરો ઉર્ફે ઇમરાનની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે.

માણાવદરના બહારપરા વિસ્તારમાં તા. ૧૧ની રાત્રે બે જુથો વચ્ચે સામસામો હિંસક હુમલો થયો હતો.

જમાતખાનાનું મકાન પાઘડીથી આપવાના મનદુઃખથી ભુરો ઉર્ફે ઇમરાન અસ્લમભાઇ કુરેશી નામના યુવાન ઉપર અજીમ તેમજ અન્ય ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો.

જેમાં અજીમે બંદુકમાંથી આડેધડ ફાયરીંગ કરીને આતંક મચાવ્યો હતો. જોકે જેમાં ઇમરાનને ઇજા થઇ ન હતી પરંતુ અજીમ સાથેના અન્ય શખ્સોએ તલવાર અને ભાલા વડે ઘાતક હુમલો કરતા ભુરો ઉર્ફે ઇમરાનને હાથ, પગ, ગોઠણના ભાગે ગંભીર ઇજા થઇ હતી.

આ હુમલા બાદ તમામ શખ્સો નાસી ગયા હતા અને ઇમરાનને માણાવદર ખાતે પ્રાથમિક શાળા આપી વિશેષ સારવાર માટે જામનગર ખાતે લઇ જવામાં આવ્યો હતો.

જામનગર પોલીસે ઇમરાન શેખની અજીમ સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ લઇ માણાવદર ખાતે મોકલતા પી.એસ.આઇ. આંબલીયાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

આ બનાવમાં સામાપક્ષેથી પણ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અજીમ સહિતના હુમલાખોરોને પકડી પાડવા માટે પી.એસ.આઇ. આંબલીયાએ તમામની શોધખોળ હાથ ધરી છે.

(11:53 am IST)