Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

ચલાલા શહેર ભાજપ દ્વારા પંડીત દિનદયાલ ઉપાધ્યાયને પુષ્પાંજલી અર્પણ

ગરીબ બાળકો દર્દીઓને બિસ્કીટ ફ્રુટ વિતરણ સેવાકાર્યો કરાયા

 ચલાલા તા.૧૩ : ચલાલા પ્રખર રાષ્ટ્રવાદી ઉત્કૃષ્ઠ સંગઠન કર્તા માનવતાવાદના પ્રણેતા અને સૌના માર્ગદર્શન શ્રી પંડીત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિતે ચલાલા શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલી અર્પણ કરાઇ હતી.

શ્રી પંડીત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતીથી નિમિતે ચલાલા શહેર ભાજપ દ્વારા ભાવભરી પુષ્પાંજલી અર્પણ કરાયા બાદ સરકારી દવાખાને દર્દીઓને ફ્રુટ વિતરણ કરી ઝુપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકોને બિસ્કીટ અને ફ્રુટ વિતરણ કરી સાચા અર્થમાં પંડીત દિનદયાલ ઉપાધ્યાયની ભાવભરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

આ કાર્યક્રમમાં ચલાલા ન.પા.ના પ્રમુખ હિંમતભાઇ દોંગા, શહેર ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ કારીયા, ન.પા.ના આરોગ્ય સમિતિના ચેરમેન પુનાભાઇ રબારી, સદસ્ય ભરતભાઇ સોલંકી, શહેર ભાજપ ઉપપ્રમુખ અશોકભાઇ કાથરોટીયા, શહેર યુવા ભાજપ પ્રમુખ કેતનભાઇ સરવૈયા, ભાજપ અગ્રણી મિતેશ ભટ્ટ, રવિરાજસિંહ તલાટીયા, શહેર ભાજપ અગ્રણી ધીરૂભાઇ સોંડીગલા, કાળુભાઇ લશ્કરી,મૌલીક ગોસાઇ, હરેશભાઇ રાવલ, દાદાભાઇ સહિતના આગેવાનો જોડાઇને ભાવાંજલી અર્પણ કરાઇ હતી તેમ શહેર મહામંત્રી પ્રકાશભાઇ કારીયાએ જણાવેલ છે.

(11:43 am IST)