Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

જામનગરમાં પ્રેમીપંખીડાનો આપઘાત

તરૂણી અને યુવકે એક નહી થઇ શકે તેવા ડરથી લાખોટા તળાવમાં ઝંપલાવી દીધુઃ અરેરાટી

તસ્વીરમાં બંન્ને મૃતકો તથા કુવામાંથી મૃતદેહો બહાર કાઢવામાં આવી રહયા છે તે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા - જામનગર)

 જામનગર તા. ર : અહી દિ. પ્લોટ ૪પમાં રહેતા સનીભાઇ ભીખુભાઇ મકવાણા વાલ્મીકી (ઉ.વ.૩પ) એ સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે મીંગ કોલોની પાસે શંકર ભગવાનના મંદિર પાસે લાખોટા તળાવની અંદર ભુમી હિંમતભાઇ મકવાણા ઉ.વ.૧૪ અને કુલદીપ છગનભાઇ પરમાર ઉ.વ.૧૯એ બંન્ને વચ્ચે કેટલા સમયથી પ્રેમસંબંધ હોય અને તરૂણી અને યુવકને પ્રેમમાં એક થવામાં પરિવારજનો સમંત ન થવાની બીકે બંન્નેએ સાથે મળી આયખુ ટુકાવવાનું નકકી કરી ડીસેમ્બર માસના પ્રથમ દિવસે જ જીંદગીનો અંત આણવાનું નકકી કર્યુ હતુ અને તળાવમાં ઝપલાવી  ત્યાં હાજર લોકોએ આ અંગે જાણ કરતા ફાયરબ્રીગેડનો કાફલો આવી તળાવમાંથી બંન્નેના મૃતદેહ બહાર કાઢયા હતા અને પીએમ માટે જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજમાં મોકલાયા હતા. જયાં પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(3:31 pm IST)