Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

'આપણે એવા ઘરમાં દીવો કરીએ જ્યાં હજી અજવાળુ પહોંચ્યુ નથી

નરેન્દ્રભાઇ મોદીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર

રાજકોટઃજેમને હૈયે સદાય રાષ્ટ્રપ્રેમ, લોકકલ્યાણ અને જનસેવાની ભાવના વસેલી છે એવા ભારતના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણીને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી છે. 

ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી લાગણીસભર લખે છે : 'આપણે સમાજનાં ગરીબ, દુઃખી, પીડિત, વંચિત અને શોષિત વર્ગની ભલાઈ માટે રોજ કશુંક કરી છૂટવાનો નિર્ધાર બનાવીને અમલમાં મૂકીએ. એવાં દ્યરમાં દીવો કરીએ જયાં હજી સુધી અજવાળું પહોંચ્યું નથી '

આલેખન

  પિનાકી નાનકભાઈ મેઘાણી  ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન 

(મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯)

(3:22 pm IST)