Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

અમરેલીના દંપતિ અને પુત્રનું અકસ્માતમાં મોત

નાના ભંડારીયા પાસે લીંમડાના વૃક્ષ સાથે કાર ધડાકાભેર અથડાતા ગૌરાંગ મનસુખભાઇ કાનપરીયા, કનકબેન અને ૮ મહિનાના મિહીરનો ભોગ લેવાયો

પ્રથમ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર, બીજી અને ત્રીજી તસ્વીરમાં મૃતક દંપતિ તથા ચોેથી તસ્વીરમાં દંપતિનો ફાઇલ ફોટો નજરે પડે છે. (તસ્વીર : અરવિંદ નિર્મળ-અમરેલી)

અમરેલી, તા. ર : અમરેલીના દંપતિ અને પુત્રનું નાના ભંડારીયા પાસે અકસ્માતમાં મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર અમરેલીના ચક્કગઢ રોડ પર રહેતા અને મોબાઇલનો ધંધો કરતા વેપારી ગૌરાંગ મનસુખભાઇ કાનપરીયા (ઉ.વ.૩૮) અને તેમના પત્ની કનકબેન ગૌરાંગભાઇ (ઉ.વ.૩પ) અને પુત્ર મીહીર ૮ માસ પોતાની સ્વીફટ કારમાં સવારનાં સમયે લગ્ન પ્રસંગે સહપરિવાર જતા હતા.

તે દરમિયાન કુંકાવાવ રોડ પર આવેલા નાના ભંડારીયા નજીક લીમડાના ઝાડ સાથે ધડાકાભેર અકસ્માતે કાર અથડાતા ત્રણેયનાં મોત નિપજયા હતા. આ બનાવની જાણ થતા ગામનાં લોકો મદદે દોડી ગયા હતા અને ઇમરજન્સી ૧૦૮ મારફત ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા. જયા ફરજ પરનાં તબીબીે મૃતઃ જાહેર કર્યા હતા. આ અંગે પી.એમ. માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. (૯.૧૦)

એકના એક પુત્રોનાં મોતથી પરિવારમાં આક્રંદ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી : આ અકસ્માતનો ભોગ બનનાર ગૌરાંગભાઇ કાનપરીયામાં મનસુખભાઇ કાનપરીયાના એકના એક પુત્ર હતા.

જયારે ગૌરાંગભાઇ કાનપરીયાનો પુત્ર મિહીર પણ એકનો એક પુત્ર હતો. આવી રીતે એકના એક પુત્રોના મોતથી પરિવારમાં આકંદ છવાઇ ગયો છે. (૯.૧૦)

(3:22 pm IST)