Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મોરબી માધાપરમાં ઉભરાતી ગટરો

મોરબીઃ મોરબીના માધાપર શેરી નં ૧૨ માં ગટર ઉભરાવવાનો પ્રશ્નો હોય જેથી આજે સ્થાનિક રહીશોનું ટોળું પાલિકા કચેરી દોડી ગયું હતું અને સમસ્યા અંગે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું છે કે માધાપર શેરી નં ૧૨ માં વગર વરસાદે દ્યર પાસે ગટર ઉભરાય છે અને ગંદા પાણી રોડ પર ફરી વળે છે જેથી રોગચાળાનો ભય પણ રહીશોને સતાવે છે ગટરના પ્રશ્ને તાકીદે પગલા ભરાય અને ઉભરાતી ગટરની સમસ્યામાંથી રહીશોને છુટકારો આપવાની માંગ કરી હતી. તે પ્રસંગની તસ્વીર.

(12:20 pm IST)