Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

પોરબંદરમાં કાલે નેશનલ કમીશન ફોર માયનોરિટીઝના સુનિલ સિંધી સાથે લઘુમતિ સમાજ અગ્રણીઓની બેઠક

પોરબંદર, તા.૨: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં લદ્યુમતીઓના નવા ૧૫ મુદા કાર્યક્રમ અંતર્ગત નેશનલ કમિશન ફોર માયનોરિટીઝ ભારત સરકારનાં સભ્યશ્રી સુનિલ સિંધી પોરબંદર ખાતે કાલે તા. ૩ નાં રોજ ઉપસ્થિત રહી રીવ્યુ બેઠક અને લદ્યુમતી સમાજનાં આગેવાનો સાથે જન સુનાવણી કાર્યક્રમ યોજશે.

અધ્યક્ષ સ્થાને તા.૩ રોજ સવારે ૧૧ કલાકે પોરબંદર કલેકટર કચેરીના સભાખંડ ખાતે અધિકારીશ્રીઓ સાથે રીવ્યુ બેઠક યોજાશે. તે ઉપરાંત લદ્યુમતી સમાજ પૈકી મુસ્લિમ સમાજ, ખ્રિસ્તી સમાજ, બૌધ સમાજ, શીખ સમાજ, પારસી સમાજ તથા જૈન સમાજનાં અગ્રણી આગેવાનો સાથે જન સુનવણી કાર્યક્રમ યોજાશે. જેથી સબંધિત લદ્યુમતી સમાજનાં અગ્રણી આગેવાનોએ બેઠકમાં ઉપસ્થિત રહેવા કલેકટર ડી. એન. મોદીની યાદીમાં જણાવાયું છે.

(12:18 pm IST)