Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

ખેડુતોના પ્રશ્ને સોમનાથથી દ્વારકા સુધી બાઇક રેલી

એકતા મંચ દ્વારા સભાઓ યોજાશેઃ ૧૦મીએ વિરામ લેશે

વેરાવળ-પ્રભાસપાટણ, તા., રઃ સોમનાથથી દ્વારકા સુધીના રૂટમાં ખેડુતોની સમસ્યા અને પ્રશ્નો માટે સાગરભાઇ રબારીના આગેવાની હેઠળ કાલે સોમનાથ મંદિર પરીસરમાંથી ખેડુત બાઇક યાત્રાનો પ્રારંભ થયેલ છે.  તા.૧૦ના પુર્ણ થશે.

આ યાત્રા સોમનાથથી દ્વારકા સુધીમાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં ફરશે અને ખેડુતોનાં પ્રશ્નો અને સમસ્યાઓ વિશે વિગતો મેળવશે. આ યાત્રા માટે બિન રાજકીય છે જેથી સાગરભાઇ રબારીએ જણાવેલ કે આ યાત્રામાં જોડાનાર દરેક ખેડુતભાઇઓ કોઇ પણ રાજકીય કે સંસ્થાના બેનાર સાથે આવવાની મનાય છે માત્રને માત્ર બિન રાજકીય છે. આ યાત્રામાં રાત્રી અને બપોરના મોટે ભાગે સભાનું આયોજન કરવામાં આવશે.

આ યાત્રા ૧ થી ૧૦ સુધી ચાલનારી છે અને ત્યાર બાદ કચ્છ અને ઉતર મધ્યમ ગુજરાત ગોઠવેલ છે અને સરકાર પાસે ખેડુતોના પ્રશ્નોનો કાયમી ઉકેલ જ કરવો જ શકય છે તેમ એકતા મંચના સાગરભાઇ રબારીએ જણાવેલ છે.

(12:02 pm IST)