Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

મંગળવારે જૂનાગઢમાં નરસિંહ મહેતાની હારમાળા જયંતી ઉજવાશે : વ્યાખ્યાન અને કાવ્યપઠનના કાર્યક્રમો

જૂનાગઢ તા.ર : આગામી તા.૩ને મંગળવારના રોજ શ્રી જૂનાગઢ વડનગરા નાગર જ્ઞાતિ સભા સંચાલીત નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા ૫૬૪મી હારમાળા જયંતી ઉજવાનાર છે.

જેમાં સાંજે પ-૩૦ કલાકે શ્રી હાટકેશ શિવાલય ગંધ્રપવાડા ખાતે સુપ્રસિધ્ધ સર્જન કવિ અનેક એવોર્ડથી વિભુષીત અને નરસિંહ અનુરાગી જયાહાર બક્ષીનુ વ્યાખ્યાન અને કાવ્ય પઠનનો કાર્યક્રમ રાખેલ છે અને હિતશ્વ નાણાવટી અને શ્રીમતી ખુશાલીબક્ષી નરસિંહ મહેતા પદનુ ગાન કરશે.

આ કાર્યક્રમમાં નરસિંહ પ્રેમીઓને સહપરિવાર ઉપસ્થિત રહેવા આ સંસ્થાના પ્રમુખ શશીન નાણાવટીએ જાહેર નિમંત્રણ  પાઠવ્યુ છે.

(11:54 am IST)