Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

વાંકાનેરમાં ડો. જી. બી. ઝાલાના ધરતી કિલનીકનો કાલે શુભારંભ

રાજકોટ : વાંકાનેરમાં પટેલવાડી પાસે રેલ્વે સ્ટેશન રોડ ખાતે ફેમીલી ફિઝીશ્યન એન્ડ હોમિયોપેથીક કન્સલ્ટન્ટ ડો. જી. બી. ઝાલા (ડો. ભરતસિંહ દોલુભા ઝાલાના સુપુત્ર) ના ધરતી કિલનીકનો મંગલ ઉદ્દઘાટન સમારોહ કાલે તા. ૩ ના મંગળવારે યોજાયેલ છે. આ પ્રસંગે ડો. દિગ્વીજયસિંહ બી. જાડેજા (ગોકુલ હોસ્પિટલ, રાજકોટ), ડો. જીગરસિંહ બી. જાડેજા (એમ.સી.એચ. ન્યુરો સર્જન ગોકુલ હોસ્પિટલ, રાજકોટ), બળદેવસિંહ જીવુભા જાડેજા (કેરા-ભુજ), તથા ગુરૂશ્રી અતુલવન બી. ઉપસ્થિત રહેશે. આમંત્રિતોએ ઉપસ્થિત રહી અવસર દિપાવવા ડો. ઝાલા પરિવારે સ્નેહભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

(11:47 am IST)