Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બોટાદ કરણી સેના અને સુર્ય સેના દ્વારા આવેદન

 બોટાદ : શ્રી રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજશેખાવતજી વિરૂધ્ધ કચ્છના રાપર પોલીસ સ્ટેશનમાં તેમના વિરૂધ્ધ ભાષણ બાબત ખોટી એટ્રોસીટીનો ખોટો ગુનો દાખલ કરવા બાબત બોટાદ કરણી સેના અને સુર્ય સેનાના સુપ્રીમો સામતભાઇ જેબલીયા તથા અમીરાજભાઇ અને અન્ય કાર્યકરોએ બોટાદ કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રૂબરૂ રજૂઆત કરેલ કે રાજશેખાવતજી ઉપર જે ખોટી એટ્રોસીટી દાખલ કરેલ છે તે રદ બાતલ કરવા અમારી નમ્ર અરજ છે અને જો આવતા દિવસોમાં અમોને ન્યાય નહી મળે તો સમગ્ર ગુજરાતના કરણી સેના અને સુર્ય સેનાના મહાનુભાવો બહોળી સંખ્યામાં ગાંધીનગર પહોચી મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને મળી યોગ્ય રજૂઆત કરશે તેમ છતા જો ન્યાય નહી મળે તો ગુજરાતભરના કરણી સેના અને સુર્યસેનાના હજારો કાર્યકરો ગાંધીનગર ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ ઉપર બેસશે તેમ બોટાદ સુર્ય સેના સુપ્રીમો સામતભાઇ જેબલીયાની યાદીમાં જણાવેલ છે.

(11:51 am IST)