Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

દ્વારકાના ગોમતીઘાટ પર દરિયામાં ન્હાવા પડેલા એક યાંત્રિકનું ડૂબી જવાથી મોત

દ્વારકા : અહીંના ગોમતીઘાટ પર સ્નાન નહિ કરવા જાહેરનામું છે જો કે તંત્રની બેદરકારીનો ભોગ યાત્રિકો બની રહ્યા છે. મહા વાવાઝોડાની અસર દરમ્યાન ગોમતીઘાટ પર સ્નાન નહી કરવાનું જાહેરનામું હોવા છતાં પણ તંત્રએ કોઇપણ સુરક્ષા રાખી નથી. ગોમતીઘાટ પર દરિયામાં ન્હાવા પડેલા એક યાત્રીનું ડૂબી જતા મોત થયું છે. બહારથી આવેલા યાત્રિકો પરિવાર સાથે હજુ પણ ગોમતીઘાટ પર જોખમી સ્નાન કરી રહ્યા છે.

(11:22 am IST)