Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

લાઠીમાં પૂ. ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે પદયાત્રા નીકળી

અમરેલીઃ જિલ્લા સંસદીય વિસ્તાર માં મહાત્મા ગાંધી ની ૧૫૦ મી જન્મ જયંતીએ પદયાત્રા યોજાય લાઠી તાલુકાના ચાંવડ કાણકીયા સ્કૂલ ખાતેથી સ્વામી ધર્મવિહારીદાસજી દ્વારા પ્રસ્થાન પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી રાજયસભા સાંસદ  પરશોતમભાઈ રૂપાલા લોકસભા સાંસદ નારણભાઈ કાછડીયા સહકારી અગ્રણી દિલીપભાઈ સંઘાણી માજી કૃષિ મંત્રી વી વી વધાસિયા માજી ધારાસભ્ય શ્રી બાવકુભાઈ ઉદ્યાડ ડો ભરતભાઇ કાનાબાર હિરેનભાઈ હીરપરા કૌશિકભાઈ વેકરિયા રામભાઈ સાનેપરા ભુપેન્દ્ર બસિયા રાજુભાઇ ભુવા ભરતભાઇ પાડા જીતુભાઈ ડેર અશોકભાઈ બારડ ઘનશ્યામભાઈ સાવલિયા ચંડીદાનભાઈ ગઢવી મયુરભાઈ હિરપરા મગનભાઈ કાનાણી એડવોકેટ વિપુલભાઈ ઓઝા વિનુભાઈ વિસનગરા સહિત આંગણવાડી વર્કર હેલ્પર સુપરવાઇઝર લાઠી બાબરા દામનગર શહેરી અંગે ગ્રામ્ય વિસ્તારો ના સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં ચાંવડથી પ્રસ્થાન થયેલ પદયાત્રા ના રૂટ પર ઠેર ઠેર નાની બાળા ઓ એ કુમકુમ તિલક થી પદયાત્રી મહાનુભવોનો સત્કાર કર્યો હતો અને પદયાત્રા ના રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારો વૃક્ષારોપણ કરાયું હતું નાની બાળાઓને તલ સાંકળી અને ખજૂરની કીટ આપી પ્રોત્સાહિત કરાય હતી  ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે વડીલ શ્રી જીવનભાઈ હકાણી હિંમતબાપુ નિમાવત સહિત અસંખ્ય વડીલો નું બહુમાન કરાયું હતું અમરેલી સંસદીય વિસ્તારમાં યોજાયેલ પદયાત્રા દ્વારા સ્વચ્છતાની હિમાયત સિંગલ યુઝ પ્લાસ્ટિક નાબુદી અભિયાન રાષ્ટ્રીય સુપોષણ અભિયાન જેવી ઝુંબેશોને જન જન સુધી પહોંચાડવા પદયાત્રામાં સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:42 am IST)