Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

વાંકાનેરમાં ભેંસ સાથે બાઇક અથડાતા ચાલક પૃથ્વીરાજસિંહ જાડેજાનુ મોત

 વાંકાનેર તા.૧૨:  વાંકાનેરમાં ભેંસ સાથે બાઇક અથડાતા ચાલક ગરાસીયા યુવાનનુ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર - રાતીદેવરી રોડ ઉપર આવેલ નિર્મલા કોન્વેન્ટસ સ્કૂલ પાસેના નવ એવન્યુ સોસાયટી પાસે રોડ પર પોતાના મોટર સાયકલમાં પસાર થઇ રહેલા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ..વ૩૫) ભેંસ સાથે અથડાતા તેઓને માથા પાછળના ભાગે ગંભીર ઈજા સાથે સરકારી હોસ્પિટલે લાવતા ડોકટરે તેઓને મૃત જાહેર કરેલ.

ગત મોડી રાત્રે બનેલા આ અકસ્માતના બનાવની તપાસ એમ.એસ. લાવડીયા ચલાવી રહ્યા છે.

મૃતક પૃથ્વીરાજસિંહ નવ એવન્યુ સોસાયટીમાં રહે છે. ગરાસીયા યુવાનના મોતની પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

(11:39 am IST)