Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં 40 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન

ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા :

સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં વિજયાદશમી નિમિત્તે રાવણ દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા યોજાયો હતો. શસ્ત્ર પૂજન કરાયું હતું.જેમાં રાજકીય આગેવાનો ધારાસભ્ય અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, શ્રીરામ ભગવાનનો જયઘોષ બોલાવી રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું, ૪૦ ફુટ ઉચા રાવણના પૂતળાનું દહન કર્યા બાદ ફટાકડાની આતશબાજી એ શહેરીજનોને આકર્ષિત કર્યા હતા. આમ રાવણ દહનના કાર્યક્રમ ને ધ્યાને રાખી પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

(9:37 pm IST)