Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

લીલીયાના હરીપર ગામે સુરતના દાતાઓ દ્વારા મહાવૃક્ષારોપણ અભિયાન

રાજકોટ : અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સમસ્ત હરીપર ગામ પરીવાર દ્વારા મહાવૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં સુરતમાં વસતા હરીપર ગામના ઉદાર દિલ દાતાઓ દ્વારા ૧૫ લાખ જેવી માતબર રકમનું દાન એકત્ર કરી મહાવૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં છિપ્કો આંદોલનની થીમ પર મહિલાઓ રેલી કાઢી કાર્યક્રમને સફળ બનાવ્યો. પ્રસ્તુત તસ્વીરમાં હરીપર ગામમાં વૃક્ષારોપણ કરતાં આગેવાનો નજરે પડે છે.

(2:07 pm IST)