Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કોંગ્રેસ પક્ષ આદેશ આપશે તો ચૂંટણી લડીશ, નહિ તો અન્ય માટે પ્રચાર કાર્ય : લલિત વસોયા

રાજકોટ તા. ૧૪ : ઉપલેટા - ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિતભાઇ વસોયાએ લોકસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રચાર ઝુંબેશ શરૂ કરી દીધી છે.

આ અંગે લલિતભાઇ વસોયાએ અકિલાને જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ પક્ષ મને પોરબંદર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડવા માટે આદેશ આપશે તો હું ચૂંટણી લડીશ નહિ તો પક્ષ દ્વારા કોઇપણ ઉમેદવારની જાહેરાત થશે તેને ટેકો આપીને કોંગ્રેસ પક્ષનો વિજય થાય તે માટે પ્રયત્ન કરશું. લલિતભાઇ વસોયાએ વધુમાં જણાવ્યું કે, પોરબંદર લોકસભા બેઠક માટે ૯૦૦ જેટલા ગામોનો પ્રવાસ કરવો પડે તેમ હોવાથી હજુ નામની જાહેરાત થાય તે પહેલા જ કોંગ્રેસ પક્ષ માટે મે પ્રચાર કાર્ય શરૂ કરી દીધું છે અને જેમ બને તેમ વધુ લોકોને મળીને લોકસંપર્ક શરૂ કર્યો છે.

(3:34 pm IST)