Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પાલીતાણામાં મકાનમાં દિપડો ઘુસ્યો : ૨ ને ઇજા

મકાન માલિકે બહાદુરીપૂર્વક ઘરમાં પુરી દઇને વન વિભાગને જાણ કરી

ભાવનગર તા. ૧૪ : ભાવનગર જિલ્લાના પાલીતાણામાં નવાગઢ વિસ્તારમાં મકાનમાં દિપડો ઘુસી આવતા બે વ્યકિતઓને દિપડાએ ઇજા કરતા હોસ્પિટલ ખસેડાયેલ છે. દરમિયાન મકાન માલીકે બહાદુરીપૂર્વક દિપડાને ઘરમાં પુરી દીધો હોવાનું જાણવા મળેલ છે.

મળતી વિગતો મુજબ જૈન તીર્થનગરી પાલીતાણામાં નવાગઢ વિસ્તારમાં રહેતા નટુભાઇ માળીના મકાનમાં આજે વહેલી સવારે અચાનક દીપડો ઘુસી આવતા નાસભાગ મચી ગઇ હતી અને દીપડાએ બે વ્યકિતઓને ઇજા પણ પહોંચાડી હતી. દરમિયાન મકાન માલીક નટુભાઇએ હિંમતપૂર્વક આ બનાવની જાણ થતાં જ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બનાવની વન વિભાગને જાણ કરાઇ હતી. દરમિયાન દિપડાના હુમલાથી ઇજા પામેલા બંને વ્યકિતઓને હોસ્પિટલ ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.

 

(11:43 am IST)