Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દૂધરેજની કેનાલમાં પાણી લેવા ઊતરેલી મહિલાનું ડૂબતાં મોત

બાવળનાં લાકડાં લેવા ગયેલીઃ તરસ લાગી હતી

વઢવાણ, તા.૧૧:સુરેન્દ્રનગરના વડનગરમાં રહેતી ૪૨ વર્ષીય મહિલા નર્મદા કેનાલ પરના પમ્પિંગ સ્ટેશન પાસે કેનાલમાં પાણી પીવા ઉતરી હતી. આ સમયે અચાનક પગ લપસતા તેઓ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. બનાવની ફાયર બ્રિગેડને જાણ થતા તુરંત ધસી ગયા હતા, પરંતુ અંતે મહિલાની લાશ જ બહાર આવી હતી.

વડનગરમાં રહેતા ૪૨ વર્ષીય લતાબેન કરમણભાઇ જોગરાણા તેમની પુત્રી સાથે ગુરુવારે બપોરના સમયે કેનાલ નજીક બળતણ લેવા ગયા હતા. પમ્પિંગ સ્ટેશન પાસે બાવળના લાકડા લેતા અચાનક તરસ લાગતા લતાબેન પ્લાસ્ટિકની ખાલી બોટલ લઈને કેનાલ મા પીવાનું પાણી લેવા ઉતરેલા મહિલાનો પગ લપસતા મહિલા કેનાલમા ખાબકી હતી ત્યારે કેનાલ મા ઉડા પાણીમા ગરકાવ થતાં આ મહિલાનું મોત નિપજયું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ફાયર બ્રિગેડની ટીમે મહિલાની લાસ બાર કાઢી પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી

(4:27 pm IST)